પુસ્તક થકી માણસ પોતાની જ્ઞાાન પ્રાપ્ત કરવાની ઈચ્છા પુરી કરી શકે છે..પુસ્તક ને પરમેશ્વર માની પુસ્તક મારફતે માનવ જાતની સેવા આપતા દંપતી ડો પ્રતાપભાઈ પંડ્યા અને રમાબેન પંડ્યા ગુજરાતના ૧૨૦ પુસ્તકાલય ખોલીને હવે અમેરિકામાં વસતા ગુજરાતી ઓની વાંચનની ભૂખસંતોષવા પુસ્તકાલયો શરુ કરી રહ્યા છે .સૌ પ્રાથમ સાનફ્રાન્સિસ્કો બે એરિયામાં આઈ સી સી ,અને ફ્રિમોન્ટ માં ખોલી ને સમગ્ર ગુજરાતીઓ માટે જ્ઞાન ને વહેતું મુક્યું છે.માતૃભાષા ગુજરાતી ના હિમાયતી અને ઉતમ ગુજરાતી સાહિત્ય ના પ્રેમી શ્રી પ્રતાપભાઈ પ્રતાપભાઈ પંડ્યાએ ગુજરાતીમાં પી.એચ.ડી. કર્યું છે, અને સૌરાષ્ટ્રમાં એ વિદ્યાધિકારી (એજ્યુકેશન ઓફિસર) રહી ચૂકયા છે. અને સ્વય પુસ્તકો પણ લખ્યાં છે. હાલ એ વડોદરાના ગુજરાત પુસ્તકાલયના પ્રમુખ છે. એ ઉપરાંત અન્ય સેવાકીય સંસ્થાઓં માં ત્રષ્ટિ સભ્ય રહીને ૧૦ વરસ તન મન ધન થી કોઈ અપેક્ષા વિના કામ કરી સેવા આપી છે.આદર્શ નમ્રતા સરળતા જેવા ગુણોને લીધે લોકોનો પ્રેમ મેળવીને સૌના વ્હલા “પંડ્યા કાકા”સર્વત્ર સૌના સ્વજન બની ગયા છે.
એમણે જીવન ગ્રામ શિક્ષણનો તથા ગુજરાતી વાંચનનો પ્રસાર કરવામાં સમર્પીત કર્યું છે.પ્રતાપભાઈએ એમના નિવૃત્તિ-ફંડનો સદુપયોગ કરી ‘પુસ્તક પરબ’. ચલાવે છે.સમસ્ત ગુજરાતનો પ્રવાસ કરી ૫૦૦ ઉપરાંત ખાનગી પુસ્તકાલય ની જાતે મુલાકાત લઇ બંધ પડેલા પુસ્ત્કાલને પોતાના ખર્ચે મદદ કરી પુસ્તકાલય પ્રવૃત્તિ ધમ ધમતી કરી છે અને “પુસ્તક પરબ” નામની સંસ્થા સ્થાપી ગુજરાતમાં ૧૨૦ ઘર પુસ્તકાલયો પાંચ વરસથી ચલાવે છે.દરેક વાંચકોને સરળતાથી પુસ્તકમળે એવી વ્યવસ્થા કરી સરળ સંચાલન કરે છે .પ્રતાપભાઈ પુસ્તકોનું દાન કરે છે, એટલુંજ નહિ,લોકોને પુસ્તક પરબો શરૂ કરવામાં મદદ કરી એમનું સંચાલન કરવાનું માર્ગદર્શનપણ આપે છે. અને તેથી જ એમના કાર્ય માટે પૂજ્ય મોરારી બાપુએ અસ્મિતા પર્વમાં પ્રતાપભાઈનું સન્માન કર્યું હતું. તેમના ધર્મ પત્ની શ્રીમતી રમાબેન માતા પિતાના ઉત્તમ સંસકારો સાથે જીવે છે જેણે પ્રસિદ્ધ કેળવણીકાર નાનાભાઈ ભટ્ટ અને ઉતમ ચિંતક સર્જક સાહિત્યકાર મુશ્રી મનુભાઈ પંચોલી પાસેથી મેળવી પ્રમાણિક નિષ્ઠાવાન શિક્ષક તરીકે રાજ્ય અને રાષ્ટ્ર કક્ષા ના એવોડ વિજેતા બની સમગ્ર ગુજરાતમાં આદર્શ શિક્ષક દંપતી તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે પણ બન્ને પતિ પત્ની નો ધ્યેય એક જ છે આપણી માતૃભાષા ગુજરાતીને આપણા દેશ અને પરદેશમાં પણ જીવંત રાખવી અને સમૃધ્ધ કરવી તેમજ લોકોને સારાં સંસ્કાર સાહિત્ય સભર પુસ્તકો આપવાં અને પુસ્તકો દ્વારા વાંચનની સંવેદના ખીલવવી અને નવા વિચારો સમાજને આપવા .તરસ્યાને પાણી પાવા માટે પરબનું આયોજન એ ભારતની સંસ્કૃતિમાં હજાર વર્ષ જૂની પરંપરા છે, પણ જ્ઞાનના તરસ્યા લોકોને જ્ઞાન મેળવવા વિનામૂલ્ય સગવડ કરી આપવી, એ પ્રતાપભાઈ જેવા વિરલા જ વિચારી શકે.