ગિરીશ પરીખ- કેલીફોર્નીયાનાં સ્વતંત્ર લેખક અને પત્રકાર

2010 February 5
by vijayshah

 
મુ. શ્રી ગિરીશ પરીખ વિશે મને માહિતી તેઓનાં ” વિસ્તરતી જતી ક્ષિતિજો”નાં ઈ-મેઈલ દ્વારા મળતી હતી જ. તેમનો વિશેષ પરિચય જ્યારે તેમણે “આદિલ મન્સૂરીની ગઝલોનો આનંદ” ક્રમશઃ લેખો લખીને ઈ-મેઈલ મોકલવાનાં શરૂ કર્યાં ત્યારે થયો. અને તેમના અને મારા કેટલાક મિત્રોની ઓળખાણ નીકળી ત્યારે વેબ મૈત્રી વધુ સઘન બની. તેમનો પરિચય તેમના વિશાળ કાર્ય ફલકની ઝલક આપે છે. એ ૧૯૬૭માં અમેરિકા આવ્યા. એમણે એન્જિનિયરીંગ કૉલેજના બહુભાષી વાર્ષિકના મુખ્ય તંત્રી તરીકે કામ કર્યું હતું. 
 

ગિરીશ પરીખ (જન્મ તારીખઃ નવેમ્બર ૧૪, ૧૯૩૪) ગુજરાતી અને અંગ્રેજીમાં લખતા સ્વતંત્ર લેખક અને પત્રકાર છે. એ અને એમનાં પત્ની હસુ એમની નાની દીકરી શેતલ, જમાઈ ડૉ. વિપુલ ભગત, બે વર્ષની પૌત્રી માયા, અને ચાર મહિનાના પૌત્ર જય સાથે મોડેસ્ટો, કેલિફોર્નિયામાં રહે છે. એમની મોટી દીકરી શર્મિલા અને જમાઈ અર્લ હાઉક રોચેસ્ટર (ન્યૂયૉર્ક સ્ટેટ) માં રહે છે તથા પૌત્રી મેગન અને પૌત્ર માઈકલ ન્યૂયૉર્ક સ્ટેટમાં કોલેજોમાં ભણે છે. 
 
ભારતમાં હતા ત્યારે એમની અનેક વાર્તાઓ, લેખો, નિબંધો, કાવ્યો, નાટિકાઓ, બાલસાહિત્ય, વગેરે “નવચેતન”, “ચાંદની”, “પ્રતીમા”, “ચેતના”, “વિશ્વ વિજ્ઞાન”, “ધરતી”, “બાલમિત્ર”, “બાળક”, “ગાંડીવ”, “કનૈયો”, “રમકડું”, વગેરે સામયિકોમાં પ્રગટ થયાં હતાં.
એમનું ગુજરાતીમાં પ્રગટ થએલું પ્રથમ પુસ્તક હતું “બિન્દુ” (કનુ) ગજ્જર સાથેનો બાલગીતોનો સંગ્રહ ફેરફુદરડી.  એ પછી પ્રગટ થએલા બાલકાવ્યોના સંગ્રહ ટમટમતા તારલા માટે એમને સરકારી ઈનામ મળ્યું હતું.
 
 
એમની ગુજરાતી કૃતિઓ અમેરિકામાંથી પ્રગટ થતાં “સંદેશ”, “ગુજરાત ટાઈમ્સ”, “ગુજરાત સમાચાર”, “ગુજરાત દર્પણ”, “ગુર્જરી ડાઈજેસ્ટ”, “ગુંજન”, “અમેરિકન ગુજરાત”, વગેરે સમયિકોમાં પ્રગટ થઈ છે.
સ્વામી વિવેકાનંદે “અમેરિકાનાં બહેનો અને ભાઈઓ” સંબોધનથી શરૂ થતા શિકાગોમાં ૧૮૯૩માં યોજાએલી વિશ્વ ધર્મ પરિષદમાં આપેલા પ્રવચન સંબંધી SEPTEMBER 11: THE DATE OF GLOOM AND GLORY! (ભાવાનુવાદઃ સપ્ટેમ્બર ૧૧: આતંકના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જતો દિવસ) નામનું પુસ્તક લખ્યું છે.
લૉર્ડ રીચર્ડ એટનબરોની ફિલ્મ “ગાંધી” માંથી પ્રેરણા લઈ ગિરીશે ફીચર ફિલ્મ “વિવેકાનંદ” માટે ૨૦૦ પાનાની અંગ્રેજીમાં પટકથા લખી છે. 
શિકાગોના વસવાટ દરમિયાન ઓગસ્ટ ૧૨, ૨૦૦૫ થી જુન ૨૦,૨૦૦૮ સુધી ઈસ્કોન (ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રીષ્ણા કોન્સિયસનેસ – - આંતરરાષ્ટિય કૃષ્ણ ભાવનામૃત સંઘ) શિકાગોના હરે કૃષ્ણ મંદિરના સામયિક “શ્રી શ્રી કિશોર કિશોરી બુલેટિન” ના ગિરીશ તંત્રી હતા. (ઈસ્કોન શિકાગોના હરે કૃષ્ણ મંદિરની શ્રી કૃષ્ણ અને શ્રી રાધાની મૂર્તિઓ અનુક્રમે શ્રી કિશોર અને શ્રી કિશોરી કહેવાય છે.)
ગિરીશે લેખો, અહેવાલો,પત્રો વગેરે “પ્રબુધ્ધ ભારત”,”વેદાંત કેસરી”,”ઈન્ડિયા ટ્રીબ્યુન”,”ઈન્ડિયન રીપોર્ટર એન્ડ વર્લ્ડ ન્યૂઝ”,”ઈન્ડિયા પોસ્ટ”,”શિકાગો ટ્રીબ્યુન”,”મોડેસ્ટો બી” વગેરે અંગ્રેજી સામયિકોમાં પ્રગટ કર્યા છે.
ગિરીશનાં અંગ્રેજીમાં પ્રગટ થએલાં પુસ્તકોમાં સાત કોમ્પ્યુટર સોફ્ટવેર વિષયનાં છે.એમનું ટેકનીક્સ ઑફ પ્રોગ્રામ એન્ડ સીસ્ટીમ મેઈન્ટેનન્સ આ વિષય પરનું અમેરિકાનું પ્રથમ પુસ્તક હતું; અને એમના હેન્ડબૂક ઑફ સોફ્ટવેર મેઈન્ટેનન્સ પુસ્તકનું જાપાનીઝ ભાષામાં ભાષાંતર થયું હતું. એમણે અંગ્રેજીમાં ૨૦૦થી વધુ કોમ્પ્યુટર સોફ્ટવેર,અને અન્ય વિષયો પરના લેખો,વગેરે વિવિધ સામયિકો અને વેબ સાઈટો પર પ્રગટ કર્યા છે.
ગિરીશ “WIDER HORIZONS Weekly” (વિસ્તરતી જતી ક્ષિતિજો) નામનું આધ્યાત્મિકતા અને ધર્મના વિષય પર રસમય વાંચન પીરસતું સાપ્તાહિક કોલમ લખે છે. એ WHSW નામની યાહૂગૃપની વેબ સાઈટ પર પોસ્ટ થાય છે, અને સભ્યો, વગરેને ઈ-મેઈલથી મોકલાય છે.
શ્રી રામકૃષ્ણ પરમહંસની કૃપાથી અને સ્વ. નાનક ગુરનાનીની પ્રેરણાથી ગિરીશે જુલાઈ ૨, ૨૦૦૪, ગુરુપૂર્ણિમાના દિવસે શિકાગોમાં “શ્રી રામકૃષ્ણ પરિવાર” (SRKP) ના શ્રી ગણેશ કર્યા હતા. હાલ SRKP મોડેસ્ટો, કેલિફોર્નિયામાં સાપ્તાહિક સત્સંગ યોજે છે.
ગિરીશ SDSMEM (સોફ્ટવેર ડેવલપમેન્ટ, સપોર્ટ, મેઈન્ટેનન્સ (અથવા મોડીફીકેશન), ઈવોલ્યુશન, અને મેનેજમેન્ટ) નામના યાહૂગૃપના તંત્રી છે.
 
સંપર્ક
 
GIRISH PARIKH
AUTHOR & JOURNALIST
2813 CANCUN DRIVE
MODESTO, CALIFORNIA  95355-7946
E-mail: girish116@yahoo.com
Phone: 209-551-1310

અંબાલાલ ચંદુલાલ દેસાઈ : “શાંન્તામ્બુ”

2009 December 31
by vijayshah

પહેલા વાચક,. પછી વિચારક કદીક પુછીયે તો જ સલાહકાર પણ વિચારે સદા કવિ અને લેખક એવા અમારી ગુજરાતી સાહિત્ય સરિતાનાં વડીલ અને માનનીય અંબુકાકા વિશે લખતા હું અઢળક આનંદ અનુભવું છું.અમેરિકા આવતા હતા ત્યારે ત્યારે તેમણે લખેલ પત્ર વાંચ્યો હતો અને તે દિવસથી તેમના માટે સાહિત્યીક અહોભાવ ધરાવું છું.તેઓ ત્યારે અને આજે પણ કહે છે “ભાઈ અહીં (અમેરિકામાં)તમારો ક્રોસ તમારે જાતે જ ઉપાડવાનો છે. આવો છો તો ભલે આવો અહીંયા બધે ડોલર લીલો છે અને તેની પાછળ દોટો કાઢે તે ઘેલો છે.”

જીવનમંત્ર : વહેતા રહેવું, એ જ જીવન…

 

આમ તો, જન્મ પછીનું જીવન સામાન્ય, પણ વિચારસરણી તે સમયથી જ એવી ઘડાઈ કે-  ‘શ્રેષ્ઠતાની જ અપેક્ષા રાખો : કાર્યની નીતિરીતિનાં ઉચ્ચ ધોરણો જ નક્કી કરો : નિષ્ફળતા આવે તો તે વિનાશક ના બને તેવી પરિસ્થિતિનું નિર્માણ કરો’ : “૧૯૨૧ ની ૨૧મી માર્ચે જન્મેલા બચુભાઈ” એ જન્મ્યા પછી, ૨૧ દિવસ બાદ જ “શ્રી આરાસુરી – અંબાજી” માતાના ખોળે આંખો ખોલી તેથી ‘અંબાલાલ’ કહેવાયા. ૧૬ વર્ષની ઉંમરે તો પુસ્તકાલયોનાં થોથે થોથાં વાંચી જતા આ કિશોરની વાંચનભૂખ એટલી હતી કે જે મળે તે વાંચે અને પાછા ઘરના તારાબાને ય શિખવાડે ! ૧૭ વર્ષની વયે, પહેલું કાવ્ય “બહેની ને !” લખ્યું. ૧૬ થી ૨૧ વર્ષના ગાળામાં, સાંઘિક પ્રવૃત્તિઓ કરી : ૧૯૩૯માં મૅટ્રિક અને ૧૯૫૮માં એમ.એ. કર્યાં. તે સમય દરમ્યાન છ સંતાનોને ઉછેરતાં ઉછેરતાં ગૃહ – ગૃહસ્થીય વ્યવસ્થિત રીતે [આમ આદમી ચલાવે તે રીતે ] ચલાવી. આમ તો આ અંબાલાલ ઉર્ફે અંબુભાઈની આમ-પ્રવૃત્તિઓનો ચિતાર ઘણો લાંબો છે, પરંતુ ૧૯૮૧માં નિવૃત્ત થયા બાદ અમેરિકા આગમન, સામાન્યત: આમ આદમી ન જીવે તેવું રહ્યું. અમેરિકા આમ તો સીનિઅર સિટિઝનને માન આપે ખાલી જુબાનનું, પણ અંબુભાઈએ અહીં પણ એમનું કૌવત બતાવ્યું.

જતીન અને અંજના સાથે રહીને “મા-બાપ” બન્યા. તેઓ માનતા કે Daughter–in–Law માંથી In–Law ને  Out–Law કરો તો જ જીવન જીવવા જેવું બને. ૧૯૯૫માં ભારતમાં વસતા બાકી રહેલા પુત્રો-પુત્રવધૂઓ, તેમના યે સંતાનો સાથે, જતીન – અંજનાને ત્યાં જ કાયદાકિય ધોરણે આવ્યાં. અમેરિકામાં ભારતીય સંયુક્ત કુટુંબની પ્રથા જાળવવી, તે સરળ વાત નહોતી, પણ પાંચેય ભાઈઓ અને તેમની પત્નીઓ, દાદા પાસે મનની વાત સહજ રીતે કરે અને દરેકને શ્રદ્ધા  પણ ખરી કે, બા અને દાદા વહેવારીક રીતે ઉકેલે આપશે જ. પહેલા પાંચ – છ માસ સૌ સાથે જ રહ્યાં, જે અમેરિકામાં તો કદાચ શક્ય જ નથી. પણ, દરેકને આ ગાળામાં તેમણે અમેરિકન રીતરિવાજથી વાકેફ કર્યા. “જતીન તો દાયણનું કામ કરશે, પણ જણનારીમાં તો જણવાનું જોર જોઇશે ને?” એવું કહી લાગણી તથા કાળજીથી દરેકને કામ કરતા કે અમેરિકામાં જ આગળ અભ્યાસ કરતા કર્યાં, ગાડી મેળવાવી અને દરેકના ઘરે તેમનાથી ચાલતા જઈ શકાય એવી રીતે પાંચ ઘર પણ કરાવ્યાં.

કહેવાય વિભક્ત કુટુંબ, પણ સાંજ પડ્યે, પાંચેય ભાઈઓને “દાદાની ટપાલ” મળે, જેમાં સાહિત્યનું કોઈ સારુ વાંચન હોય, કોઈક “દાદાનું વૈદું” હોય કે જાણવા જેવા ભારતના કે વિદેશના, સામાજિક કે કૌટુંબિક સમાચારો હોય કે નવીન અમેરિકી ટૅકનિકો કે વૈજ્ઞાનિક નૂતન નુસખા-તરીકા યે હોય ! વહુઓ પણ દીકરીઓ બનીને જ શાંન્તાબા પાસે આવે, વાતો કરે, કંઈ નવું બનાવ્યું હોય તે આપવા આવે કાં તો શાંન્તાબા કે અંજુભાભીએ નવું બનાવ્યું હોય તે લઈ જાય. ક્યારેક વ્યવહારિક કે કૌટુંબિક મુંઝવણોનો ઉકેલ પણ શાંન્તાબા પાસેથી મેળવી જાય. દર મહિને, મોટાભાગે છેલ્લા કે સહુનીય સગવડ સચવાય તેવા અનુકૂળ શનિવારે સાંજે જ “ભજન-ભોજન સંધ્યા”ની પૉટ-લક પાર્ટીઓ પણ થાય છે…ફરતાં ફરતાં… જ્યાં જે ઘરે નક્કી કરેલો વારો હોય, તેણે ખાલી દાળ કે કઢી જેવું પ્રવાહી ભોજન બનાવવાનું : બાકીનાઓ વાનગી-પત્રક મુજબની વાનગીઓનો જોગ કરે! આ સાંજે ૭ થી ૧૧ ચાલતી ભોજન વ્યવસ્થામાં ભોજન થાય તે પહેલાં ભજનો જ ગવાય. સુખ દુઃખની વાતો વહેંચાય : નોકરી કરતા સૌના સમય પણ સચવાય.

પહેલા જતીનભાઈનું ૪ જણાનું  કુટુંબ, બા-દાદા આવ્યા પછી ૬ નું થયું : ૧૯૯૫ માં ૧૫ જણાં આવ્યાં ત્યારે ૨૧ નું થયું… અને… આજે ૨૦૦૯ માં ૩૦ જણાનું આ કુટુંબ નિયમિતરૂપે, ભારતીય–સંસ્કારો–સભર રહે છે. અગવડતા કે દુઃખની વહેંચણી કરે છે. સગવડતા કે સુખના સરવાળા કરે છે !

   અંબુભાઈ હવે તો ૮૮ વર્ષની વયે, સહુના “દાદા” છે, અને એવું સ્પષ્ટપણે માને છે કે, “સારા વિચારોનું ખેડાણ, વાવેતર અને વહેંચણી જ કરવી જોઇએ, કારણ કે માણસ જન્મે છે ત્યારે ગુણ અને દોષોનું પોટલું જ હોય છે, તેથી જેમ જેમ સારા વિચારો કરતા જઈએ, તેમ તેમ સારી વાણી અને સારું વર્તન જન્મતાં જ હોય છે, અને દોષો ઓછા થતા જાય છે. સારા વિચારો કલુષિતતા તથા ક્લેશ ઘટાડે છે.” તેમના આખા જીવનનો  નિચોડ આપતાં તેમણે જણાવ્યું કે – “શ્રેષ્ઠતાની જ અપેક્ષા રાખો : સિદ્ધિ કે સફળતા મેળવવાનું ઉત્તેજન મળે તેવી વિશિષ્ટ અને અનુકરણીય કામગીરી અપનાવો : સફળતાને વધાવો અને સહકારને પુરસ્કારો.”   

 તેમનું સાહિત્ય આ બ્લોગ ઉપર મુકાઇ રહ્યું છે. શાંતામ્બુ દેસાઇની યાદો 

તેમનો ઇ મેઇલ સંપર્ક છે jatin@maverickeng.com

ગુજરાતી સાહિત્ય/પત્રકાર ક્ષેત્રે ઉનડકટ દંપતિ-કૃષ્ણકાત અને જ્યોતિ

2009 December 27
by vijayshah

વડોદરામા વસતુ આ  યુગલ સાથે પહેલી વખત વાત કરો તો શુધ્ધ ગુજરાતી ઉચ્ચારણ અને મૄદુભાષી વાતો ગમી જાય તેનુ કારણ સ્પષ્ટ ત્રણેય સ નું ઉચ્ચારણ અને બ્રાહ્મણ કે નાગર કુટુંબમા વાત કરતા હોય તેમ જણાય. મારો તેમની સાથેનો પરિચય આકસ્મિક જ.. મળવા ગયો હતો વિશ્વજીતને અને દિવ્યભાસ્કર ની પત્રકાર દિપ્તીએ અમારા સાહેબને મળીને જાવ કહેતા તેમની ઓફીસમા પહેલુ પગથીયું મુક્યું ત્યાં કૃષ્ણકાંતભાઇ બોલ્યા  ’વિજયભાઇ તમારા ઇ મેલ મને મળે છે તેથી પરોક્ષરીતે હું તમને જાણુ છુ. પરિચયના પુષ્પોતો આમ જ બે ક્ષણોમા ખીલી ગયા. એઓ તેમનુ કામ કરતા જતા હતા અને મને વેબપેજ વિશે પુછતા જતા હતા. 

શનીવારે ઘરે આવોનો પ્રેમાળ આવકાર આપતા તેમની વ્યસ્તતામાં ઓફીસે મઝા નહીં આવેનો સંકેત કર્યો અને હું છુટો પડ્યો. એમના વિશે જાણવાનાં મારા પ્રયત્નોમાં તેમનો ભારંભાર વિનય છલકાતો અને કહેતા હું તો ગમતાનો ગુલાલ કરુ છું

 

કૃષ્ણકાંતભાઇનો પત્રકારીત્વ ક્ષેત્રે અનુભવ ૨૫ જેટલા વર્ષોનો (એટલે કે  બહોળો) છે જેમા રાજકોટ અને દિલ્હીમાં સ્પેસિયલ કરેસ્પોન્ડન્ટ તરીકે ચિત્રલેખામાં કાર્ય રત હતા ત્યાર બાદ ગુજરાત સમાચારનાં તંત્રી તરીકે વડોદરામાં કાર્યરત હતા. હાલ દિવ્યભાસ્કર વડોદરા આવત્તિનાં તેઓ તંત્રી છે. દિવ્યભાસ્કરની કળશ પૂર્તિમાં ચિંતનની પળે નામની કોલમ લખે છે. જે અમેરિકાની દિવ્યભાસ્કર પુર્તિમાં પણ વાંચવા મળે છે. જેનો હું નિયમિત વાચક પણ છું.ગુજરાતી સાહિત્યનાંએક અનોખા પ્રકાર જેવી જીવંત પ્રેમકથાઓ “અહા જિંદગી” નામના માસિક માટે નિયમિતરુપે લખે છે. આ વાર્તાઓની મઝા એ છે કે વાર્તા સત્ય ઘટના હોય અને તેમની જે તે પાત્રોની તસ્વીરો પણ સાચી અને સચોટ રીતે રજુ કરતા હોય છે. ”ચિંતનની પળ” પુસ્તક સ્વરુપે પીઢ અને ચિંતક ગુણવંત શાહ્નાં હસ્તે વિમોચીત થઇ

જ્યોતિ બહેને પણ ચિત્રલેખામાં “વાચા” નામની કોલમ છેલ્લા ઘણા વર્ષો થી લખે છે અને સ્પેસીયલ કરસ્પોન્ડટ તરીકે રોજબરોજ ની ઘટનાઓનું રીપોર્ટીંગ કરતા હોય છે. તેમનું નોંધ પાત્ર રીપોર્ટીંગ ગોધરા ટ્રેન દુર્ઘટના, અક્ષરધામ ઉપરનો હુમલો, કચ્છનો ધરતીકંપ વિગેરે નોંધનીય છે  તેમની કોલમ વાચાને પણ પુસ્તક સ્વરુપ મળેલું છે.

તેમનો બ્લોગ છે http://krishnkantunadkat.blogspot.com/

તેમનો સંપર્ક ઇમેલ 

kkantu@gmail.com,

 jyotiu@gmail.com

“ટહુકો” જયશ્રી ભક્તા પટેલનો.

2009 December 1
by vijayshah

આજે વાત લખું છું જયશ્રી ભક્તા-પટેલની જેની સૌથી પહેલા નોંધ હસમુખ બારોટે “ગુજરાત ટાઇમ્સ” ન્યુ યોર્ક દ્વારા લીધી. તે નોંધ આવ્યા પછી નેટ જગતનાં કસબીઓની કોલમ લખવાની શરુઆત થઇ અને આ બ્લોગના ઘણા બધા લેખો તે કોલમનાં ભાગ રૂપે શરુ થયા. જયશ્રી ભક્તા, ઉર્મીસાગર,સોનલ વૈદ્ય વિશાલ મોણપરા, મૃગેશ શાહ, અમિત પીસાવડીયા, ધવલ શાહ,  પંચમ શુકલ,  ચીરાગ ઝાઝી અને વિવેક ટેલર જેવો આખો યુવા વર્ગ બ્લોગર તરીકે જુદા જુદા વિષયોમાં સક્રિય થયા. કાળાંતરે બધા સાથે વાતો કરી તેમના વિશે લખી શક્યો ફક્ત એક જયશ્રી તેના ચાલુ ભણતર ને લીધે સંપર્ક બહાર રહી જતી હતી.

 ફીલીંગ્સમાં ફરી તેનો લઘુ પરિચય આવ્યો જે પૂર્ણ સ્વરુપે અત્રે ફરી પ્રસિધ્ધ કરતા મને આનંદ થાય છે. પરિચય દરમ્યાન તેની વિનમ્રતા ધ્યાનાકર્ષક છે કારણ કે તેની વિરલ સિધ્ધિ ૧૨૯૧ જેટલી પોસ્ટ પર આવેલા ૧૬૨૦૦થી પણ વધુ પ્રતિભાવો.  જે અત્યંત પ્રભાવીક અને ગૌરવ પૂર્ણ હોવા છતા તેનો ઉલ્લેખ માત્ર કરીને બીજી વાતો ઉપર જતી રહે છે. સામાન્ય રીતે ” કશું આપવાની વાત” આવે ત્યારે સૌ પાછા પડે તે તબક્કામાં આટલા બધા પ્રતિભાવો એક મતે સુચવે છે કે ગુજરાતી કવિતા અને સંગીત બંનેનાં ચાહકો છે અને જયશ્રી જે કરી રહી છે તે ખુબ જ આવકારનીય છે.  સાચી ભાષામાં આ બધા યુવા બ્લોગરો પણ માતૃભાષાનાં સંવર્ધન અને વિકાસનો પાયો છે.

હું અંગત રીતે કહું તો જ્યારે હું ટહુકો રેડીયો સાંભળતો હોઉં ત્યારે ગુજરાતી સાહિત્ય જીવતુ લાગે.ભલે ને હું હ્યુસ્ટન માં હોઉં  કે વડોદરામાં. એક વખત મારા એક મારા અમેરિકન ગુજરાતી  મિત્ર મને કહે તારે ગુજરાતી ગીતો સાંભળવા હોય તો ટહુકો.કોમ ઉપર જજે..ત્યારે ગર્વથી માથુ ઉંચુ થઇ ગયું કે જયશ્રીએ જાતે કેટલાય ગુજરાતીઓનાં દિલ જીત્યા છે.અને આ લોકપ્રિયતાને સન્માનનીય બનાવી છે. મને મારા બ્લોગ ઉપર જ્યાં અટક્યો ત્યાં ઘણાએ મને શીખવ્યું છે જેમા જયશ્રી પણ છે.       

 જયશ્રી અને અમિત પટેલ

(1)  આપનો અભ્યાસ

વાપીની GIDC Roffel College થી MBA in Finance, સાન ફાંન્સિસ્કોની ગોલ્ડન ગેટ યુનિવર્સિટીથી Masters In Accountancy, અને એ પછી CPA (Certified Public Accountant) – comparable to CA (Chartered Accountant) in India.

(2)  સાહિત્ય-કવિતા-ગીત-સંગીતમાં આપને પહેલેથી રુચિ છે ?

નાનપણમાં તો ફક્ત જુના હિંદી-ગુજરાતી ગીતો સાંભળવાનો જ ગાંડો શોખ હતો. પપ્પાએ એમના જમાનામાં રેકોર્ડ કરાવેલી થોડી કેસેટો વારંવાર, ઘસી-ઘસીને વર્ષો સુધી સાંભળી હતી… અને મારા મોટાભાઇને લીધે મને ભારતીય શાસ્ત્રીય સંગીતમાં પણ રસ પડતો થયો. પણ ગીતોમાં રહેલા કવિતા-તત્વ સાથે પરિચય ‘કવિતા’ એ કરાવ્યો.  વલસાડ કોર્મર્સ કોલેજની લાઇબ્રેરીમાં બેસીને ઘણા કલાકો ‘કવિતા’ ના કેટલાય જુના-નવા અંકો વાંચ્યા હતા. અને MBA પછી થોડું વધારે ગુજરાતી સાંભળતી થઇ. પણ ત્યારે હું ગુજરાતી અને હિંદી ગીતો વધુ સાંભળતી. read more…

કલાગુરૂ રવિશંકર રાવળની સ્મૃતિમાં- કનક રાવળ

2009 November 29
by vijayshah

http://ravishankarmraval.org/

Ravishankar M. Raval, Ravibhai or simply RMR to his friends, was born in Gujarat. He was interested in painting from the very childhood. Gujarat has been synonymous with the trading attitude of its large business community.For them fine arts were looked down as profitless endeavors. The family knew only the security of government service and saw no future in painting. Resisting pressures from within the family and the social stigma for fine arts Ravibhai struggled to pursue his dreams and became an accomplished artist. He founded a magazine ‘Kumar’ devoted to ‘Tomorrow’s citizens’ and an art-school to encourage others to pursue art-carriers.

This is an effort to commemorate Ravibhai’s 111th birthday coming on August 1 2003. The purpose is to keep all this accessible to the generations to come and find inspiration from him.

Feel free to send comments, suggestions and ideas to add more value to the site.”

ભજમનભાઇ નાણાવટીનો તાજો અને નવો બ્લોગ “વાર્તાલાપ “

2009 November 29
by vijayshah

 

[8001052UydQ[1].jpg]

 
http://bhajman-vartalap.blogspot.com/

ભજમનભાઇ નાણાવટીએ તેમનો બ્લોગ વાર્તાલાપ ઉપર બ્લોગ્નો અનુભવ બહુ સરસ રીતે વર્ણવ્યો છે.. તેમણે લખેલ તેમની વાત જે મને બહુ ગમી
 Then, a lot of water flowed in the river Sabarmati (Ahmedabad, India) and in the river Whangnui (Auckland, NZ). Yes, one year passed. I shifted temporarily from Ahmedabad, India to Auckland New Zealand. From OVEN (40 Deg.C) to Deep fridge (4 DegC) ! તેમની નિવૃત્તિની બ્લોગ પ્રવૃતિમાં આપણને ઘણુ મળે (તેમનુ માળીયે ચઢેલ સાહિત્ય સર્જન સહિત) તેવી શ્રધ્ધા સાથે તેમણે લખેલ તેમની વાત અત્રે મુકુ છુ. બ્લોગ વાચકોની મુલાકાતો થી સભર ત્યારે રહે કે જ્યારે પણ વાચક આવે ત્યારે નવુ જુએ તે તો તમને ખબર જ છે ને ભજમનભાઇ!

તેમનો સંપર્ક bsnanavaty@gmail.com

બાળપણથી વાંચવાનો શોખ છે. સાવરકુંડલામાં પિતાશ્રી શાળાના નિયામક હતા તેથી શાળાના પુસ્તકાલયનો ભરપૂર ઉપયોગ કર્યો. વેકેશનમાં પુસ્તકાલયના બધાં નવાં પુસ્તકોને પૂઠાં ચડાવવાની કામગીરી ને સાથે વાચન ! લખવાની પ્રવૃત્તિ કોલેજ કાળ દરમ્યાન આમ તો શરૂ કરી. પરંતુ વિદ્યાર્થી જીવન પુરું થતાં જ સાહિત્ય સર્જન અભરાઇ પર અને “દામ ઉપાર્જન” શરુ ! ત્રણ ચાર વર્ષથી વ્યવસાય-નિવૃત્તિ લીધા પછી જૂની પોથીને અભરાઇ પરથી ઉતારી ધૂળ ખંખેરી. સાતમા ધોરણના મારા અલ્પ સમયના વર્ગશિક્ષક શ્રી બોરીસાગર સાહેબને મળ્યો. તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદની મંગળવારની સભા ‘નવસર્જકો સાથે સંવાદ’માં જોડાવા સુચન કર્યું. અમદાવાદમાં રહ્યો ત્યાં સુધી (અનિયમિત રીતે )  નવસર્જનની બાળપોથીમાં હાજરી આપી !

 

ભૂલથી જન્યુ. ’75 માં ‘ચાંદની’ વાર્તા માસિકમાં એક વાર્તા પ્રસિધ્ધ થઇ (“વાર્તાલાપ” પર મુકી છે ) ! એ સિવાય જૈન મુનિશ્રી પ. વૈરાગ્યરત્નસાગરસૂરિ મ.સા. એ ગુજરાતીમાં બાળકો માટે લખેલ “ગુડ બોય” ના મેં કરેલ અંગ્રેજી અનુવાદનું બે માસ પહેલાં વિમોચન થયું.

 

મેં નોંધ્યું કે રીડ ગુજરાતી વેબસાઇટ પર પ્રતિભાવની પગથી, ચર્ચાચોરો બની જાય છે ! મતલબ ભાવકોને મુક્ત રીતે પોતાના વિચારો પ્રગટ કરવાનું એક માધ્યમ જોઇએ છે. ઉપરાંત સ્વરચિત સર્જનને વેબ-સાગરમાં તરતા મુકવાની લાલચ પણ ખરી ! આ માટે બ્લોગ બનાવ્યો—વાર્તાલાપ. પછી બ્લોગમા જણાવ્યા પ્રમાણે એક વર્ષ વાર્તાલાપે વનવાસ (?) ભોગવ્યો ! દરમ્યાન અમદાવાદથી ઑકલેંડ આવવાનું થયું. સમય પસાર કરવા માટે અહિં તો અનય (મારો દોહિત્ર) અને લેપટોપ છે ! વિશાલ મોણપરાના ટાઇપ પેડને લીધે યુનિકોડમાં લખવાનું સરળ થયું. બ્લોગ જગતમાં એક જ મહિનામાં નટવરભાઇ મહેતા, વિજયભાઇ શાહ, સુરેશભાઇ જાની, નિલમબેન દોશી જેવા બ્લોગ-મિત્રો મળ્યા !  

 

વિશ્વ ગુજરાતી સંમેલન (4)

2009 November 11
by vijayshah

વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા અમદાવાદમાં યોજાઇ રહ્યું છે વિશ્વ ગુજરાતી સંમેલન વધુ વિગતો માટે જુઓ

4th World Gujarati Conference  

Brochure

VGS brochure

Souvenir Success story 500$ 

Delegate Form[1]

Membership Form

પ્રત્યાયન- ડો. પંચમ શુકલ

2009 November 9
by vijayshah

ડો. પંચમ શુકલ લંડન ખાતે ઈલેક્ટ્રોનીક્સ એન્જીનીયરીંગ વ્યવસાયમાં વ્યસ્ત છે. મને યાદ છે કે સુરેશભાઇ જાની મને બ્લોગ શીખવતા ક્યાંક અટકે તો કહેતા પંચમને પુછી જોઇશ. એટલે વહેવારીક રીતે એવુ બને કે મને પાણ બ્લોગકાર્ય  શીખવવામાં તેમનો પરોક્ષ ભાગ રહ્યો કહેવાય. પણ તે સંદર્ભ કરતા ઊર્મીસાગરનાં સહિયારા સર્જનો ને મઠારનાર છંદનાં જાણકાર તરીકે મારો એમનો પરિચય વધુ ગહન છે. તેમણે તેમનો અનુભવ લખ્યો જ છે- આશા રાખું કે હવે તેમને અર્થઉપાર્જન ની સાથે સાથે ગુર્જર કાવ્યો જે પકવવા મુક્યા છે તેને બહાર કાઢે અને કાવ્યસંગ્રહ કે ઇ-બૂક તરીકે સૌને પીરસે. 

pancham Shukal  

હું ઘણા વર્ષોથી બ્લોગિંગ કરું છું. જો કે મારો બ્લૉગ  એ બ્લોગની મૂળભૂત વ્યાખ્યા જેવો જ છે – વેબ-લોગ ! એ મારી કવિતાઓની ઓનલાઈન ડાયરી જ છે અને એટલે જ એ મારી સર્જન પ્રક્રિયાને સુસંગત એવા અનિયતકાલીન ધોરણે કાર્યાન્વિત છે.

હકીકતે, મે મારી કવિતાઓને મારા વેબપેજ પર મૂકવાની શરૂઆત તો 2003-04 થી કરેલી. પણ એ વખતે યુનિકોડમાં કોઈ પણ ગુજરાતી વેબસાઈટ મે જોઈ નહોતી. (મારી જાણમાં માત્ર બે જ રસપ્રદ વેબસાઈટ હતી – કેસૂડા અને ઝાઝી) . મારા વેબપેજ પર મેં જેપેગ (JPEG) અને પીડીએફ (PDF) ફોર્મેટમાં કાવ્યો મૂકેલા જે હજી પણ (રેફરંસ માટે) મોજુદ છે.

http://www.commsp.ee.ic.ac.uk/~pancham/mystuff.html read more…

ડો. કિશોર મોદીની સાહિત્ય સાધનાની સ્મરણિકા

2009 November 6
by vijayshah

ડો. કિશોર મોદીનું અને તેમના ભત્રીજા દીલીપ મોદીની ઘણી બધી વાતો પ્રીતમ લખલાણી તેમજ યોગેન્દ્રભાઇએ કરી હતી અને તે સમય દરમ્યાન તેમને ઇ મેલ દ્વારા ગુજરાતી સાહિત્ય સંગમ માં પરિચય મોકલ્વા તેમને જણાવ્યું હતું પરંતુ સમયની બલિહારી કે તે ઘણા સમયે શક્ય બન્યું. તેમણે લખેલા સમય દરમ્યાન તો હું પણ સારાભાઇ કેમિકલ્સમાં હતો પણ જેનું જ્યાં મળવાનું નિશ્ચિંત હોય ત્યાં જ મળાય ના ન્યાયે હમણા ફરી વાત થઇ અને તેમની વાતોથી જણાયું કે દુનિયા ખુબજ નાની છે અને સમાન રસ ધરાવતા વડીલ મિત્રો જરૂર મળે જ છે. તો ચાલો આજે માણીયે ડો કિશોર મોદી ની સાહિત્ય સાધના

 

kishor modi
            

૧૯૫૪માં હું હાઇસ્કૂલમાં આવ્યો ત્યારથી મારો સાહિત્ય પ્રત્યે લગાવ શરૂ થયો.એ અરસામાં મારા ભાઇ શ્રી.નગીન મોદીની ટૂંકી વાર્તા અને નવલકથા ચાંદની,આરામ અને સવિતામાં છપાતી તે હું વાંચતો. હાઇસ્કૂલના વર્ષો દરમિયાન ‘કુમાર’,'મિલાપ’ અને ‘ઊર્મિ અને નવરચના’ જેવાં સામયિકોના સંપર્કમાં આવ્યો. ‘કુમાર’માં સોનેટો વાંચી જતો.એ વર્ષોમાં મને ગુજરાતીમાં વ્યાકરણમાં પદચ્છેદ,અલંકાર અને છંદ વગેરે પ્રશ્નમાં પૂરા ગુણ મળતા.જ્યારે હું દસમા ધોરણમાં આવ્યો ત્યારે ‘સરોજ’ નામક માસિક માટે મને કાવ્ય મોકલવાનું આમંત્રણ મળ્યું,અને ઉપજાતિ છંદમાં રચાયું પહેલું મંગલાષ્ટક.તેની ચોથી અને આઠમી પંક્તિ હતી- बलीयसी केवलमीश्वरेच्छा . આમ સંસ્કૃત પ્રત્યેનું મારું માન પ્રગટ થયું. પછી વિજ્ઞાનમાં જવાને કારણે આ બધું પરદા પાછળ ધકેલાઇ ગયું. ૧૯૬૬ના પીએચ.ડીના વર્ષોમાં હાઇકુનો મહિમા હતો.એટલે મેં પણ હાઇકુ લખ્યાં ને ‘ઊર્મિ અને નવરચના’માં પ્રગટ થયાં.પાછળથી શ્રી.હર્ષદેવ માધવના આગ્રહથી સંસ્કૃતમાં હાઇકુ લખ્યાં અને સંગ્રહમાં પ્રકાશિત કર્યાં. read more…

ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશન

2009 October 27
by vijayshah