Skip to content

ડૉ નટવરભાઇ ગાંધી-સોનેટ ગાંધી

January 25, 2012

વિજય શાહ અને ડો નટવરભાઇ ગાંધી

ડૉ નટવર ગાંધી ” પ્રથમ” નાં ઉપક્રમે હ્યુસ્ટન આવ્યા અને એમના સોનેટૉ એમના ભાવ વહી અવાજમાં સાંભળવાનો લહાવો મળ્યો.સવારનાં નવનાં ટકોરે સતીશભાઇ સાથે તેમનુ “ભોજન” રેસ્ટોરંટમાં સતિશભાઇ સાથે આગમન થયું ત્યારે પહેલી નજરે ન જાણાયું કે તેઓ અમેરિકાનાં મુખ્ય નાણાકીય અધિકારી છે અને ગુજરાતનુ અને ગુજરાતીઓનું આગવુ ગૌરવ છે પણ જ્યારે માઇક ઉપર પૃથ્વી છંદમાં સોનેટો એમના મૃદુ અવાજમાં સાંભળવાનો લહાવો મળ્યો ત્યારે લાગ્યું કે ગુજરાતી ભાષા પણ તેમના સર્જનો દ્વારા જીવંત છે. તેઓ ગાંધીજીનાં ઉપદેશોને જાણે છે અને પાળે પણ છે. અમેરિકાની ધરતીમાં રહેલી સારપને માણે છે અને ભારતનાં સંસ્કારોની ધૂળ માથા પર રાખે છે. પૂર્વ અને પશ્ચિમનું સુભગ સમન્વય તેમનમાં જણાય છે. તેમનો પરિચય આ પાવર પોઇંટ પ્રેઝન્ટેશન Natwar Gandhi-vishal થકી મળશે.

 

જેમના મિત્રો પન્નાબેન નાયક અને સુરેશ દલાલ જેવા સમર્થ સાહિત્ય કારો હોય તેઓનાં સર્જનો માણો www.narwargandhi.com ઉપર. તેમના બે સોનેટ સંગ્રહો ઇંડિયા ઇંદિયા અને અમેરિકા અમેરિકા વાંચ્યા પછી અમેરિકનગુજરાતીઓ  તેમને સોનેટ ગાંધી કહે તે યોગ્ય જ છે

2011 in review

January 1, 2012

The WordPress.com stats helper monkeys prepared a 2011 annual report for this blog.

Here’s an excerpt:

A New York City subway train holds 1,200 people. This blog was viewed about 7,900 times in 2011. If it were a NYC subway train, it would take about 7 trips to carry that many people.

Click here to see the complete report.

ચિત્રકલા અને સાહિત્યનો સુભગ સંગમ એટલે દીલીપ અને સરયૂ પરીખ

October 18, 2011

“નીતરતી સાંજ Essence of Eve” સરયૂ પરીખ ના ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં કાવ્યો, અનુભવો અને દિલીપ પરીખના ચિત્રોના, અનોખા પુસ્તકનુ પ્રકાશન.

ભાવનગરમાં શિશુવિહાર બુધસભાના ઉપક્રમે અમેરિકા સ્થિત સરયૂબહેન દિલીપ પરીખના પુસ્તકનુ વિમોચન કવિશ્રી ડો.વિનોદભાઈ જોશીના
હસ્તે, સપ્ટેમ્બર ૨૫ ૨૦૧૧ના રોજ, સુજ્ઞ સાહિત્યકારોના ભાવભર્યા પ્રોત્સાહન સાથે થયું. “જાહ્ન્વી સ્મૃતિ” કવિયેત્રી સંમેલનનો અઢારમો અવસર હતો. અનેક કવિમિત્રોનો
ભાવવિભોર પ્રતિભાવ “નીતરતી સાંજ” વિષે મળ્યો.

અતિથિ વિશેષઃ પદ્મશ્રી મુનિભાઈ મહેતા,પત્રકાર શ્રી રમેશભાઇ તન્ના, કવિયત્રી લક્ષ્મીબહેન ડોબરીયા.

કવિશ્રી વિનોદભાઈ જોશીના  શબ્દોમાં, …. પુસ્તક ઘણા જતનથી સર્જાયુ છે હાથમાં લેતા ખબર પડે છે. “નીતરતી સાંજ” કે જીવનનો નિચોડ અને સુંદર ચિત્ર સાથે જે રીતે લખાયુ છે, ઘણુ કહી જાય છે. ભાવભરી રચનાઓ સાથે સુંદર ચિત્રોનો સુમેળ……..

કવિ મુનિભાઈના  શબ્દોમાં, ….It has brought tears of joy time and again and new dimension to our own understanding and appreciation. The most important aspect is that Karuna and Samatva – that takes you to the path of Budha of compassion and wisdom. Read more…

મંદાર જોગલેકર- વૈશ્વિક ઈ બુક પ્રકાશક

October 6, 2011

 

ભારતિયો કોમ્યુટર ફીલ્ડમાં હંમેશા આગળ હોય છે તે મારી માન્યતાને સાચી પાડતી ઘટના જ્યારે ઈ બૂક પ્રકાશક ગૂગલ પર શોધતો હતો ત્યારે www.bookganga.com ની સાઈટ મળી જે  http://www.myvishwa.com ની એક શાખા હતી.

ભારતીય ભાષાનાં પુસ્તકો વૈશ્વિક સ્તરે ભારતિય ચલણમાં મળતા જોઇ મન ગર્વાન્વિત  થઇ ગયું. વેબ પેજ પર ખાં ખોળા કરતા જણાયું કે આ સ્વપ્નુ માય વિશ્વ કરીને તેમના બૃહદ સ્વપ્ન નો ભાગ હતો… કોમ્પ્યુટર થકી થતી દરેક વસ્તુઓમાં તે જવા માંગે છે

નવી પેઢીનો આ સાહસિક સાથે ઘણી વાતો કરી અને લાગ્યું કે ટૂકા ગાળામાં ઘણી બધી ભાષાઓના પુસ્તકો મુકી તેઓ ભારત ની એમેઝોન થવાનું ઝનુન રાખે છે. હાલ્માં ૩૫૦૦૦ કરતા વધુ પુસ્તકો રાકહ્તી આ પ્રકાશક નવી તકનીકોથી વાકેફ છે અને અમેરિકા અઓસ્ટ્રેલીઅ આને ભારતમાં પૂણે મુંબૈ ખાતે ઓફીસ ધરાવતી છેલ્લા ૩ વર્ષથી ચાલતી સંસ્થા છે .

તેઓની સંપર્ક માહિતી

Reach Us at
United States-Corporate Office
MyVishwa
Corporation
104 Kingston Way, North
Wales,
PA, 19454, USA.
Contact Person:
Mr. Mandar JoglekarT : +1-215-997-2055, +1-215-264-4995
India-Technology Center
MyVishwa
Technologies Pvt. Ltd.
16, Sawali, Panmala, Off Sinhagad
Road,
Pune-411030, Maharashtra, India.
Contact Person:
Mrs.
Vandana
M : +918600761110 / T : +91-20-2432 0686
Mr.
Mayuresh
M : +918600751110
Australia-Business Development
Center
MyVishwa
Corporation
4/6 Studley Road,
Ivanhoe, VIC 3079,
Australia.
Contact Person:
Mrs. Swati – T : 061-3 94998263

પ્રવિણ શાસ્ત્રીનો “શ્વેતા” લઈને સાહિત્ય જગતમાં ૭૦ વર્ષે પ્રવેશ

October 1, 2011
mail

વિમોચન નાં સમાચાર પ્રસિધ્ધિનાં બીજે દિવસે પ્રવિણભાઇને ફોન કર્યો અને મને તો તે તરતજ ઓળખી ગયા.. વિજયભાઇ સ્પીક બીંદાસ્ત પરનાં તમારા પરિચય અને પ્રવિણ પટેલ દ્વારા તમારા માટે લખાઅયેલ બટ મોગરાનાં લેખથી હું આપને ઓળખતો હતો.. આજે મને ફોન કરીને તમે પોતિકો કર્યો.. કહો કહો મારે શું કરવાનું છે..મેં અભિનંદન આપ્યા અને જાણે જુગ જુના ભાઇ બંધ હોય તેમ જેમણે એમની બધી વાતો કહેવામાંડી…૧૯૫૭નાં પ્રથમ વર્ષે પ્રથમ વાર્તા લખી, ફોટા સાથે છપાઈ તેથી બહુ ફુલાયો પછી તો ઘણી બધી વાર્તાઓ લખાઈ અને છપાતી ગઈ પણ તે શોખમાં ઇંટર સાયંસમાં ફેલ થયા અને ભણતર સિવાયનાં અન્ય ઈતર પ્રવૃત્તિઓની બંધી સાથે લેખન બંધ થઈ  ગયુ . અ૯૬૮ માં લંડન અને ૧૯૭૦માં અમેરિકા સ્થાઇ થયા…૨૦૦૮ સુધી ..શરીરે સાથ આપ્યો એટલે કામ કર્યુ અને હવે થાક જણાયો તેથી નિવૃત થયો.. અને પેલો ધરબાઇ ગયેલો લેખન નો શોખ સુભાષભાઇની સહાય થી ફરી પાંગર્યો.. ધર્મ પત્નિયોગિની બહેન ની પ્રેમ સહાયથી ગુજરાતી સાહિત્ય જગતને તેમનો એક ખોવાઇ ગયેલો લેખક૪૫ વરસ પછી  પાછો મળ્યો.

સમાજે જે આપ્યું તેનું ઋણ અદા કરવાનાં તેમના માંગલીક પ્રયત્ન સાથે તેમને બીરદાવતા એટલું કહીશ કે મા સરસ્વતીનાં આશિર્વાદ થી તમે આ પ્રયાસ આદર્યો અને ઉજમાણ કર્યો.. આવનારા વર્ષોમાં પણ વધુ લખો અને આ મનગમતી પ્રવૃત્તિનાં ગુલાલને વધુ ગમતો કરો

ભારતમાં આ પુસ્તક  શ્રી મહેશ ભટ્ટ  ” સ્વાગત” બ્રહ્મણ ફળીયા જલાલપોર નવસારી અને અમેરિકામાં યોગિન શસ્ત્રી 6 savria court  Howell NJ 07731 USA પરથી ઉપલબ્ધ થશે ભરત્માં આ પુસ્તક્ની કિંમત રૂઇપ્યા ૧૨૫.૦૦ અને અમેરિકામાં તે ડોલર ૧૦.૦૦ ની છે.

એકત્ર -અતુલ રાવલનું ગુજરાતી સાહિત્યને ડીજીટાઇઝ કરવાનું સુંદર સ્વપ્નુ.

September 24, 2011

૨૦૦૬માં જ્યારે બ્લોગરોનું વિશ્વ સંમેલન વેબ પેજ ઉપર મળ્યુ ત્યારે પેન્સીલ્વીયાનાં જય ભટ્ટ ગાંધીજીનાં પુસ્તકનું તેમની યુનીવર્સીટીમાં ડીજી ટાઇઝેશન કરતા હતા અને એવો આશા વાદ સેવતા હતા કે ગુજરાતી સાહિત્યનાં સંવર્ધનને ક્ષેત્રે આ કાર્ય જ્યારે થશે ત્યારે ભાષાની ચિરંજીવતા વધશે. ૨૦૧૧માં રસેશભાઇ દલાલે મને જ્યારે આ ઇ મેલ મોકલી ત્યારે હું આનંદ થી ઝુમી ઉઠ્યો કેમ કે એ સ્વપ્નુ સાચું કરવાનું બીડું શ્રી અતુલ રાવલે ઉઠાવ્યું.

તેમનો ઇ મેલ આ રીતનો હતો

મિત્રો,

આપ જાણો છો તેમ, હવે નવા આવી રહેલા આ સમયમાં ગુજરાતી ભાષાના પુસ્તકોને કોમ્પુટર અથવા આઈપેડ જેવા નાના ઈબુક રીડર ઉપર વાંચી શકાય અને જ્યાં ઓડિયો પુસ્તકો ઉપલબ્ધ હોય ત્યાં સાંભળી પણ શકાય તેવો એક પ્રયત્ન ‘એકત્ર’ દ્વારા હાથ ધરાયો છે. આ વાત ગુજરાતના પ્રકાશકો અને લેખકો સુધી પહોંચાડવા અમદાવાદના ગુજરાતી સાહિત્ય પરિષદમાં યોજાયેલા બહોળી હાજરીવાળા વર્કશોપ પછી ઘણા હકારાત્મક પ્રતિભાવો સાંપડી રહ્યા છે. એકત્ર બુક્સની વેબસાઈટ ઉપર નવા નવા પુસ્તકો હવે દેખાઈ રહ્યાં છે. છેલ્લા આઠેક મહિનામાં આઈપેડ ઉપર દુનિયાભરના ત્રણેક હાજર ગુજરાતી વાચકોએ ફ્રી પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું છે. તો બીજી તરફ એકત્ર બુક્સની વેબસાઈટ ઉપર હજારેક વાચકોએ રજીસ્ટર કરી વધારે પુસ્તકો ઉપલબ્ધ થાય અને કોમ્પુટર ઉપર વાંચી-સાંભળી શકાય તેવી વ્યવસ્થા માગી રહ્યા છે. હાલ આ પુસ્તકો આઈપેડ કે આઈફોન પૂરતા જ મર્યાદિત છે. સાવ પહેલેથી સોફ્ટવેર, વેબસાઈટ અને જુદી જુદી એપ્લીકેશન્સ તેયાર કરવામાં; પુસ્તકોને આ નવા પરિવેશમાં ઢાળવામાં અને તેથીય વિશેષ તો પ્રકાશકો અને લેખકોને આ નવા અનુભવમાં જોડાવવામાં થોડો સમય જઈ રહ્યો છે; જેમાં વાચકોને થોડી ધીરજ રાખવા વિનંતી છે. પણ મારે સહર્ષ જણાવવું છે કે આ વાત લઈને જયારે હું પહેલી વાર મુ. મહેન્દ્ર મેઘાણી અને સુરેશ દલાલને મળ્યો ત્યારે તરત જ લોકમિલાપ અને ઈમેજ પબ્લિકેશનના પુસ્તકો ઉપલબ્ધ કરવાનું સ્વીકાર્યું. અને આજે અપૂર્વ આશરના અથાગ પ્રયત્નોને પરિણામે એમાંના થોડાં પુસ્તકો સુંદર ઈબુક રીડરે ઉપલબ્ધ છે. અને હવે પછી રઘુવીર ચૌધરી, પન્નાલાલ પટેલ તથા ગુર્જર પ્રકાશન, સન્માન પ્રકાશન, નવજીવન પ્રકાશન જેવા પ્રકાશકો તરફથી આપણા ઘણા જાણીતા લેખકોના પુસ્તકો પણ ઉપલબ્ધ થવામાં છે. વળી સુભાષ શાહ તરફથી ઘણી ઓડિયો પણ આવવામાં છે.

આ આખાય તાજા યત્નને સિતાંશુ યશશ્ચંદ્ર, ભોળાભાઈ પટેલ, સુદર્શન આયંગર, પ્રકાશ શાહ, દીપક દોશી, રાજેન્દ્ર પટેલ, દર્શિની દાદાવાળા, ચિંતન શેઠ, ઉત્તમ ગજ્જર જેવા પુસ્તક-પ્રેમિયોનો સક્રિય સહકાર સંપન્ન થયો છે. જત એજ જણાવવાનું કે કોમ્પુટર ઉપર વાંચી શકાય તેવો સોફ્ટવેર અને આ નવી રીતિના પુસ્તકો તેયાર કરવામાં હજુ થોડો સમય જશે. દરમ્યાન આપના તરફથી કોઈ સૂચનો હોય તો જરૂર અહીં atulraval@ekatrabooks.com ઉપર મોકલશો.

 -અતુલ રાવલ

“એકત્ર” : પરિચય

આધુનિક સમયમાં, ટેકનોલોજીના વ્યાપક એવા ઉપયોગથી, જયારે જીવનનાં તમામ વ્યવહારો કરવાની પદ્ધતિઓમાં પરિવર્તનો આવી રહ્યા છે, જેમ કે, બેંક-રેલ્વેની કામગીરી વિ., તો પછી લેખન-વાચનની પ્રવૃત્તિમાં કેમ નહીં?

ગુજરાતી લેખન-વાચનની પ્રક્રિયામાં, ટેકનોલોજીના ઉપયોગ વડે આવી રહેલાં પરિવર્તનને ‘એકત્ર’ના નામે ઓળખાવી શકાય. ‘એકત્ર’ એવી એક બારી છે જ્યાંથી, જેમ ઘરની છાજલીઓ પરથી પુસ્તકો લઇને વાંચી શકાય તેમ કોમ્પુટરના સ્ક્રીન પર આ પુસ્તકો વાંચી શકાય. આંગળીના ટેરવેથી જેમ પુસ્તકનાં પૃષ્ઠો ઉથલાવીએ છીએ તેમ જ પૃષ્ઠો ઉથલાવતાં જઇને વાંચવાની એક ડિજિટલ વ્યવસ્થાને ‘એકત્ર’ના નામે ઓળખાવી શકાય.

‘એકત્ર’માં ભારતીય સાહિત્યનાં પુસ્તકો ઉપલબ્ધ કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. આરંભ તો ગુજરાતી ભાષાના પુસ્તકોથી કરવાનો છે, પણ પછી અન્ય ભારતીય ભાષાઓને પણ એમાં સમાવતા જઇને, એક અખૂટ પુસ્તકોની શ્રેણી ‘એકત્ર’માં ઉપલબ્ધ કરવાનો ઇરાદો છે. નવા પ્રકાશનો, પૂર્વેનાં પ્રકાશનો અને એમ સાહિત્યનાં ક્ષેત્રમાં સમાવી શકાય એવાં તમામ પુસ્તકોને અહીં જગ્ગા આપવાની છે. અહીં આ પુસ્તકોને ડાઉનલોડ કરીને સાચવી પણ શકાય અને અથવા ઓનલાઈન પણ વાંચી શકાય એવી વ્યવસ્થા ઊભી કરી છે.

‘એકત્ર’માં પુસ્તકો ઉપરાંત ઓડિયો બુક્સ પણ ઉપલબ્ધ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. કોમ્પુટરની મદદથી પુસ્તકોને વાંચવાની સાથે સાથે જ સાંભળી શકાય એવી પણ એક વ્યવસ્થા ઊભી થઈ શકે એમ છે. અને આમ કરીને, સાહિત્યને શ્રવણ દ્વારા પામવાની એક અદ્ભુત અનુભૂતિ સુધી લઈ જનારી શક્યતાને પણ સાકાર કરવી છે.

સામયિકોનું પ્રકાશન પણ ‘એકત્ર’માં થાય એમ ઇચ્છનીય છે. હાલ પ્રકાશિત થઈ રહેલા સામયિકો ઉપરાંત ‘એકત્ર’ દ્વારા સંપાદિત સામયિકને પણ અહીં પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

‘એકત્ર’ દ્વારા સાહિત્ય સાથે જોડવા માટે જે એપ્લીકેશન જરૂરી છે તે ‘એપલ’ અને ‘ગુગલ’ પરથી વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે. કોઈ પણ ઉપકરણ દ્વારા ‘એકત્ર’ સુધી પહોંચી શકાય એવી ગોઠવણ કરવામાં આવી રહી છે. મોબાઈલથી લઈને કોમ્પુટર સુધીના સાધનોમાં ‘એકત્ર’ દ્વારા પુસ્તકો વાંચી શકાય એમ છે.

ગુજરાતી સાહિત્ય અને પછી ભારતીય સાહિત્યને, કોમ્પુટરની એકજ ક્લિક દ્વારા, આંખ સામે રજૂ કરવું કે પછી કાન દ્વારા પામવું, એવી અનુકૂળતા ઊભી કરી આપનારી વ્યવસ્થા, નામે ‘એકત્ર’ને આવકારીએ અને આપણાથી શક્ય હોય તેટલો સહકાર આપી આ પ્રયત્નને આગળ લઈ જઈએ.

www.ekatrabooks.com પરથી આગળની માહિતી મેળવી શકાય.

-દર્શિની દાદાવાળા

Contact
Ekatra Books

Atul Raval
135 Tradition Pkwy
Flowood, MS 39232-8021

Phone: 704-756-1325

Ekatra Booklet

Ekatra Brochure_Web (1)

આવતી કાલના વાર્તાકારોનું આજનું માસિક-મમતા

September 19, 2011

ચંદ્રમણિ પ્રકાશન

આવતી કાલના વાર્તાકારોનું આજનું માસિક

ગુજરાતી ભાષામાં હાલ બીજા સાહિત્યપ્રકારોની સરખામણીએ વાર્તાનું સ્વરૂપ ગુણવત્તા અને ફાલની દૃષ્ટિએ ઝંખવાઈ રહ્યું છે. ત્યારે સશક્ત, અને તેજસ્વી એવા નવા વાર્તાકારોની નવી શ્રેણીના ઉદગમ, સંવર્ધન અને પ્રતિષ્ઠા કરવાના એકમાત્ર ઉદ્દેશ સાથે વાર્તાકાર મધુ રાયના સંપાદન હેઠળ અને બીજા કેટલાક સમર્થ સાહિત્યકારોના સહયોગમાં ખાસ નવોદિતો માટેના નવા વાર્તામાસિક ‘મમતા’નો પ્રારંભ તા, ૧૧–૧૧–૧૧થી થઈ રહ્યો છે.

આ ઝુંબેશના પહેલા ચરણરૂપે વાર્તાક્ષેત્રે નવી પ્રતિભાઓને શોધીને બહાર લાવવા માટે ‘મમતા’એ એક વિશેષ વાર્તા સ્પર્ધાનું આયોજન કર્યું છે. અને તેમાં ભાગ લેવા માટે જાણ્યા-અજાણ્યા તમામ વાર્તાકારોને જાહેર નિમંત્રણ છે,

 આ વાર્તાસ્પર્ધાના નિયમો નીચે મુજબ છે.

1. વાર્તા સ્પર્ધાનું પરિણામ જાહેર થયાની તારીખ સુધીમાં જેમનું એક પણ પુસ્તક પ્રકટ ન થયું હોય તેઓ જ આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.

2. વાર્તાનું લખાણ સરળ હોય ને વાર્તાતત્ત્વ સુરેખ હોય તે જરૂરી છે.

3. વાર્તા કોઈ સામયિક, દૈનિક, રેડિયો, ઇન્ટરનેટ કે બીજે કશેય પ્રકાશિત કે પ્રસારિત થયેલી ન હોવી જોઇએ.

4. વાર્તાની શબ્દસંખ્યા મહત્તમ 2000 શબ્દોની છે. તે ઓપન વર્ડ ફોર્મેટમાં ટાઇપ કરેલી હોય અને તેની જોડણી સાર્થ શબ્દકોશ અનુસાર હોય તે ઇચ્છનીય છે.

5. વાર્તાના મથાળે માત્ર વાર્તાનું શીર્ષક જ હોવું જોઇએ. લેખકનું નામ, સરનામું, ટેલિફોન, સેલ ફોન નંબર અને ઇ–મેલ આઇડી એક અલગ કાગળમાં જે તે શીર્ષક્ના સંદર્ભ સાથે આપવું અનિવાર્ય છે.

આ સ્પર્ધામાં પ્રથમ આવનાર વાર્તાને રૂા.૫૧,૦૦૦નું ‘અશોક હર્ષ’ પારિતોષિક અમેરિકાવાસી સાહિત્યપ્રેમી દેવેન્દ્ર પીર તરફથી અને બીજા અને ત્રીજા સ્થાને આવનાર વાર્તાઓને ‘મમતા’ તરફથી રૂા. ૨૧,૦૦૦ અને રૂા. ૧૧,૦૦૦નાં પારિતોષિકો એનાયત થશે.

સ્પર્ધામાં આવેલી તમામ વાર્તાને પ્રકટ કરવાનો પ્રથમ હક ‘મમતા’ માસિકને રહેશે. ઈનામી સિવાયની વાર્તાઓ પણ પ્રગટ થયે તેનો યોગ્ય પુરસ્કાર પણ ચુકવવામાં આવશે. પણ તે દરમ્યાન એ વાર્તાને પ્રગટ કરવા માટે અન્યત્ર મોકલી શકાશે નહિં.

સ્પર્ધકે વાર્તા સાથે પોતાનો વાર્તા સંગ્રહ પ્રગટ ન થયો હોવાની, અને મોકલેલ વાર્તા સંપૂર્ણપણે પોતાની મૌલિક અને અપ્રગટ હોવાની, અને પ્રગટ કરવા માટે ક્યાંય મોકલી ના હોવાની, અને હવે ક્યાંય મોકલશે નહીં તેવી બાહેંધરી સાથે આશરે પચાસ શબ્દોમાં પોતાનો પરિચય અને પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ મોકલવો જરૂરી છે.

સ્પર્ધકો પોતાની વાર્તાની એક નકલ સાચવી રાખે તેવું સૂચન છે, કારણકે વાર્તાની હસ્તપ્રત પાછી મોકલવાનું શક્ય નથી. સ્પર્ધામાં પારિતિષિકો માટે નિર્ણાયકોનો નિર્ણય આખરી ગણાશે. પરિણામના અનુસંધાનમા કોઇ વાંધા કે વિવાદને માટે અવકાશ નથી. આ સ્પર્ધા અંગે કોઈ પત્રવહેવાર, એસએમએસ કે ફોનચર્ચા થશે નહીં.

વાર્તા મોડામાં મોડી સપ્ટેમ્બર ૩૦, ૨૦૧૧ સુધીમાં નીચેના સરનામે મળી જશે તો જ સ્પર્ધામાં ભાગ લેવાને પાત્ર ગણશે..

વાર્તા મોકલવાનું સરનામું:

વાર્તા સ્પર્ધા કેર ઓફ શ્રી એ. વી. ઠાકર, ૯૭૭/૨, સેક્ટર ૭–સી, પથિકાશ્રમ બસ ડિપોની સામે, ગાંધીનગર ૩૮૨ ૦૦૭

વર્ડ કે પીડીએફ ઇ–મેઇલથી મોકલવાનું સરનામું mamtamonthly@hotmail.com.

જીવન માંગલ્યલક્ષી સાહિત્યકાર ‘યાત્રિક ‘ને શ્રદ્ધાંજલી- ડો. પ્રતિભા શાહ (via વિજયનુ ચિંતન જગત)

August 18, 2011
tags: , ,

જીવન માંગલ્યલક્ષી સાહિત્યકાર 'યાત્રિક 'ને શ્રદ્ધાંજલી- ડો. પ્રતિભા શાહ   આચાર્ય ડો નટુભાઈ ઠક્કર ( યાત્રીક) 'લીમડામાં એક ડાળ મીઠી ' કોલમથી ગુજરાતી સાહિત્યજગતમાં લોકપ્રિય બનેલા , લગભગ ૮૦ જેટલા જીવન માંગલ્ય લક્ષી પુસ્તકોના સર્જન દ્વારા સમાજ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ ફેલાવનાર શ્રી નટુભાઈ ઠક્કર ને તેમની દશમી પુણ્ય તિથિએ સંગીતાંજલિ અને શબ્દાંજલિ દ્વારા શ્રધાંજલી અર્પવાનો એક આગવો કાર્યક્રમ શિકાગોના એલ્ગ્રોવ પાર્ક ડીસ્ટ્રીકના હોલમાં તેરમી ઓગસ્ટની સાંજે યોજાયો હતો . કાર્યક્રમનો આરંભ ઇન્ડિયાનાના માનવસેવાપ્રેમી ડો. વિજયભાઈ દવેએ … Read More

via વિજયનુ ચિંતન જગત

લલીત સોની નું ઇંડો કેનેડિયન ગુજરાતી કોમ્યુનીટી ન્યુઝ પેપર (via વિજયનુ ચિંતન જગત)

August 16, 2011
tags: , ,

મને આનંદ થાયછે કે હવે કેનેડામાં પણ કોમ્યુનીટી ગુજરાતી ન્યુઝ પેપર શરુ થયુ છે.. ગુજરાતી ભાષાને વિશ્વભાષા બનાવવાનાં યજ્ઞમાં લલીત સોની અને તેમના પરિવારે ઝંપલાવ્યું છે. વિશ્વગુર્જર બંધુઓને કેનેડામાં પોતાનાં કાર્યને વિકસાવવાની તક આ બાઇ વીકલી છાપુ " ગુજરાત ન્યુઝ લાઇન" આપશે ચાલો આપણે લલીતભાઇ સોનીને તેમના નવા સાહસને અભિનંદન કહી બીરદાવીયે LALIT SONI PH : 647 400 6248 c/o IMMIGRANT NEWSLINE Prime South Asian-Canadian Newspaper EMAIL: immigrantnews@gmail.com … Read More

via વિજયનુ ચિંતન જગત

ડો.અદમ ટંકારવી ને એનાયત થયેલ આઈ.એન.ટી.નો પ્રતિષ્ઠિત કલાપી એવોર્ડ

August 16, 2011

શત શત અભિનંદન!

(સૌજન્ય:મુંબઈ સમાચાર -15ઑગસ્ત 2011,અને ‘બઝ્મે વફા’)

આઈએનટીનો પ્રતિષ્ઠિત કલાપી અૅવોર્ડ  જેમને એનાયત થયેલ છે એ અદમ ટંકારવી મૂળ ભરૂચ પાસેના ટંકારિયા ગામના. મુંબઈની જયહિન્દ કૉલેજમાં બી.એ. અને સુરતની એમ.ટી.બી. કૉલેજમાં અંગ્રેજી સાથે એમ.એ. કરીને ત્યાંની જ જીવનભારતી સ્કૂલમાં પાંચ વર્ષ શિક્ષક તરીકે નોકરી કરી. એ પછી વલ્લભવિદ્યાનગરમાં ૨૧ વર્ષ અંગ્રજીના વ્યાખ્યાતા તરીકે કામ કર્યું. ૧૯૯૧માં બ્રિટનની સ્કૂલમાં હેડ ટીચર તરીકે નોકરી મળતાં ત્યાં જ સ્થાયી થયા. એ પછી ત્યાંની પ્રેસ્ટન કૉલેજમાં લેકચરર તરીકે પણ જૉબ કરી. અત્યારે નિવૃત્ત જીવન ગાળતા ટંકારવી સાહેબે પહેલી ગઝલ પંદર વર્ષની વયે લખી હતી. તેમના આઠ ગઝલસંગ્રહ બહાર પડ્યા છે. Read more…

Follow

Get every new post delivered to your Inbox.