જિંદગી આખી ઈતિહાસ ખંખેરવામાં ગઈ- શરીફા વીજળીવાળા
ચિટચેટ – નંદિની ત્રિવેદી
ઉત્તમ અનુવાદક, ચરિત્રલેખક, વિવેચક અને સંપાદક શરીફા વીજળીવાળા સુરતની એમટીબી કૉલેજમાં ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ છે. મેડિકલમાં સાત માર્ક ઓછા પડતાં એન્જિનીયરિંગમાં પ્રવેશ લેવો પડ્યો હતો. એમને તો આર્કિટેક્ટ બનવું હતું પણ અધધ ખર્ચ પોસાય એમ નહોતો એટલે બી.ફાર્મ કર્યું અને પાંચ વર્ષ ફાર્માસિસ્ટ તરીકે નોકરી કરી. પરંતુ, ઘર મેળવવાની તકલીફને લીધે હોસ્ટેલના રેક્ટરની જવાબદારી સ્વીકારી અને હોંશે હોંશે બાર વર્ષ નિભાવી. અભ્યાસકાળ દરમ્યાન ઘર ન હોવાથી હોસ્ટેલમાં રહેવા મળે એટલે જ ગુજરાતી અને મેથ્સ સાથે બી.એ. કરવાનું નક્કી કર્યું. ગુજરાતી વિષયમાં રસ વધતો ગયો ને પછી એમ.એ., બી.એડ. અને પી.એચડી પણ કર્યું. તમે માનશો, એફ.વાય.બી.એ.થી એમ.એ. સુધી એકેય વાર ક્લાસ અટેન્ડ ન કરવા છતાં હંમેશાં તેઓ યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવ્યાં છે. વીસમી સદીનાં શ્રેષ્ઠ ૧૨૫ ગુજરાતી પુસ્તકોમાં એમનું પુસ્તક ‘શતરૂપા’ સ્થાન પામ્યું છે. સ્પાઈનલ કોર્ડની તકલીફને કારણે છેલ્લાં વીસ વર્ષથી ચોવીસે કલાક પીઠની પીડા સહન કરતાં શરીફાબહેનનો જુસ્સો અને લેખન પ્રત્યેનો ઉત્સાહ આજેય બરકરાર છે, કારણકે તે કહે છે કે ‘હું શરીરથી ક્યાં જીવું છું, મનથી જ જીવું છું.’’ સાહિત્ય પરિષદ, સાહિત્ય અદાદમી સહિત અનેક પારિતોષિકો મેળવી ચુકેલાં આવાં મનસ્વી તપસ્વિની શરીફાબહેન અહીં તેમનાં અંગત રસ-રૂચિ શેર કરે છે. Read more…
ડો . કમલેશ લુલ્લાનું બહુમાન અને હ્યુસ્ટનનાં ગુજરાતી સાહિત્ય સર્જકોને તેમની હાકલનો સુંદર પ્રતિસાદ-વિજય શાહ
સાતમી જુલાઇ,૨૦૧૨ ની સાંજે પ્રદીપભાઇ બ્રહ્મભટ્ટ્નાં આમંત્રણે શ્રી પુષ્પક્ભાઇ અને શ્વેતાબેન પંડ્યાનાં નિવાસ સ્થાને હ્યુસ્ટન ખાતે ગુજરાતી સર્જકોની એક બેઠકનું આયોજન થયું… નિમંત્રીત ૧૫ સર્જકો અને મર્યાદિત મિત્રો, ડો કમલેશ લુલ્લાને મળેલ એસ્ટ્રોનોટ કર્નલ એલીસન ઓનીઝુકા ઍવોર્ડ (વિશિષ્ટ સિધ્ધિ સન્માન) નાં ઉજવણી અને બહુમાન માટે ભેગા થયા હતા.આ વિશિષ્ટ બેઠકમાં તેમને અપાયેલા સન્માનના પ્રતિસાદમાં ડો કમલેશ લુલ્લાએ દરેક સર્જક ને નાસાનાં ઉપક્રમે લેવાયેલ અર્થ રાઇઝ્ની છબી સર્વે સર્જકોને આપતા હાકલ કરેલી કે, આ છબી જોતા આપને સ્ફુરતી કવિતા તેમને મોકલશો. તે પ્રતિસાદ ૧૫ જુલાઇ પહેલા અત્યારે તેમની વેબ સાઇટ http://kamleshlulla.gujaratisahityasarita.org/ ઉપર મુકેલા છે.
સન્માન પ્રસંગે હાજર રહેલ હ્યુસ્ટન ખાતેના સાહિત્ય સર્જકો અને મિત્રો Read more…
ડો. ધીરુભાઈ ઠાકર-સારસ્વતસાધનાનો પ્રકાશ • કુમારપાળ દેસાઈ

આગામી ૨૭મી જૂને ગુજરાતી વિશ્વકોશના દ્રષ્ટા અને સ્રષ્ટા ડૉ. ધીરુભાઈ ઠાકર ૯૫મા વર્ષમાં પ્રવેશશે. શિક્ષણનિષ્ઠા, સાહિત્યનિષ્ઠા અને નાટ્યનિષ્ઠાને કારણે જાણીતા ડૉ. ધીરુભાઈ ઠાકરે આચાર્યપદેથી સાઠમા વર્ષે નિવૃત્તિ લીધી. એ પછી એમની નિષ્ઠા-ત્રિવેણીમાં વિશેષભાવે એમની એક ચોથી નિષ્ઠાનો ઉમેરો થયો તે વિશ્વકોશ-નિષ્ઠાનો ! આયુષ્યના ૬૭મા વર્ષે એમણે વિશ્વકોશનું ભગીરથ કાર્ય શરૂ કર્યું. શ્રી સાંકળચંદભાઈ પટેલના હૂંફાળા સાથ-સહકારથી એમના આ વિશ્વકોશના યજ્ઞનો પ્રારંભ થયો. એકાદ વર્ષમાં તો સાંકળચંદભાઈએ વિદાય લીધી, પરંતુ અમેની ભાવના ધીરુભાઈ માટે મજબૂત પીઠબળની બની રહી. ધીરુભાઈ હંમેશાં વિશ્વકોશની પ્રવૃ્ત્તિને જગન્નાથના રથ સાથે સરખાવે છે. એના આરંભથી જ એમને અનેક તેજસ્વી વિદ્વાન લેખકોનો આ કાર્યમાં સાથ મળતો રહ્યો – પછી એ વિદ્વાનોમાંથી કોઈ યુનિવર્સિટીના કુલપતિ હોય, કોઈ પોતાના ક્ષેત્રના નિષ્ણાત હોય, કોઈ કવિ કે મૅનેજમેન્ટ-નિષ્ણાત હોય, આચાર્ય કે અધ્યાપક હોય કે પછી કોઈ ડૉકટર હોય-પણ એ સહુ કોઈ વિશ્વકોશના આ યજ્ઞમાં પોતપોતાની રીતે સમિધ અર્પવા લાગ્યા.
જુદા જુદા વિષયના તજ્જ્ઞો અને અધ્યાપકોની ધીરુભાઈ ખોજ કરતા જ રહે અને કોઈ વિદ્વાન મળે એટલે એમને પ્રેમપૂર્વક બોલાવે અને સ્નેહથી આ કામમાં જોડી દે. વિશ્વકોશને સમાજના કોઈ એક જ વર્ગનો નહીં, પણ તમામ વર્ગનો સહયોગ મળ્યો – સંતો, શ્રેષ્ઠીઓ, વિજ્ઞાનીઓ, ઉદ્યોગપતિઓ વગેરેનો અને ધીરે ધીરે એનો વ્યાપ વધતાં સમાજસેવકો તથા ગ્રંથાલયનિષ્ણાતોએ પણ વિશ્વકોશમાં પોતાનું યોગદાન આપ્યું.
એના ૨૫મા ગ્રંથ માટે જૂનાગઢની કૃ્ષિ યુનિવર્સિટીના મદદનીશ ગ્રંથપાલશ્રી કાંતિલાલ ઠાકરે પાંચ લાખ રૂપિયાની રકમ આપી; એટલું જ નહીં, પણ આયુષ્યના અંતિમ વર્ષમાં જ્ઞાનવર્ધક ગ્રંથશ્રેણી માટે બીજા પાંચ લાખ રૂપિયા આપ્યા. આમ, વિશ્વકોશની પ્રવૃ્ત્તિની સુવાસ એવી ફેલાતી રહી કે ચોમેરથી ઉમળકાભર્યો સહયોગ મળવા લાગ્યો. Read more…
૧૯૭૨માં જયશ્રી માસી અને અરુમાસી સ્વામીનારાયણ આર્ટ્સ કોલેજના સહયોગી અને મોટાભાઇ યોગેશનાં સહપાઠી..૧૯૭૪માં જ્યારે યોગેશ અમેરિકા ગયો ત્યારે જયશ્રી માસીના ભાગે લાંબો પાંચ વર્ષનો ઝુરાપો આપીને ગયો હતો તે સમયે
જાડેજા સાહેબ સાથે અરુમાસીનાં લગ્ન, તે વખતે ઉંમરભેદને કારણે ઘણાને અજુગતુ લાગેલુ..પણ નીચે મુકેલ લેખ વાંચશો તો જણાશે કે તે તો એક અદભૂત પ્રણય કથા છે
સહસ્ત્ર ચંદ્ર દર્શન
કાળક્રમે જયશ્રીમાસી જયશ્રીભાભી થયા અને અરુમાસીની સાહિત્યીક જાગૃતિ.. અખંડ આનંદ , જનકલ્યાણ અને એવા કેટલાય ઉચ્ચ મેગેઝીનોમાં ડોકાતી રહી. આજે ૨૦૧૨માં હુ અરુમાસીને પીઢ..સિધ્ધ હસ્ત અનુવાદક..આધ્યાત્મિક ક્ષેત્રે ઊંડા ખેડાણ કરી ચુકેલ સાહિત્યકાર તરીકે આપને ઓળખ કરાવવા માંગુ છુ. તેમની જીવન ચર્યા વિશે વાતો કહું તો તે ત્રણ કાર્યો જ કરે છે..જાડેજા સાહેબની સેવા સુશ્રુષા..લેખન- ચિંતન અને અંધશાળાની છેલ્લા ૧૨ વર્ષથી ધોરણ ૧૦નાં વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ભણાવવાનુ કાર્ય. તેમને ઓલીયા સત્યુગી આત્માની ની કક્ષાએ મુકે તેવું સરસ કાર્ય છે તેઓ કદી સાહિત્ય ક્ષેત્રે..જાહેર થતા નથી..નથી તેમને માન અકરામની પડી કે નથી તેઓ તેમના લેખપ્રસિધ્ધિ અંગે કોઇનું અવલંબન શોધતા.. Read more…
ડો. લલિત પરીખ -નટવરભાઇ મહેતાનાં “લલિત સર”
ટોપ બ્લોગ પોસ્ટમાં લલિતભાઇની વાર્તા જોઇ. વાંચી અને સરસ લાગતા બ્લોગ જરા વધારે ફંફોસ્યો તો તેમનો આખો વાર્તા સંગ્રહ વાંચવા મળ્યો..”નિવૃત્તિની પ્રવૃત્તિ” પુસ્તકમાં મુકી શકાય તેવું લલિત સર નું પાત્રાંકન વાંચ્યુ અને તેમનો પરિચય મારા બ્લોગ ઉપર મુકવાનું મન થયુ. તેમના બ્લોગ http://lalitparikh.wordpress.com/ ઉપરથી તેમનો પરિચય અત્રે મુકુ છુ. મને આશા છે કે તેમની વાર્તા સજાવવાની પ્રક્રિયા..તેમની શૈલી અને સમગ્ર વાર્તા તત્વ ની ચમત્કૃતિ એટલી સરસ છે કે જાણે વિવ્ધ રંગોની સુંદર કલાત્મક રંગોળી ન હોય!
લલિતભાઇ પરીખ વિશે…્તેમના જ શબ્દોમાં…
હું લલિત પરીખ.
મારો જન્મ ૧૯૩૧માં..
શરૂના ૮ વર્ષ ઇન્દોરમાં હેડમાસ્તર પિતાની શાળામાં ત્રણ ગુજરાતી સુધીનો અભ્યાસ.તે પછી ચોથી ગુજરાતીથી એમ.એ.પી;એચ.ડી.સુધીનો અભ્યાસ હૈદરાબાદમાં.હિન્દી સાહિત્યનાં ઉસ્માનિયા યુનીવર્સીટીમાં પ્રોફેસર,,ચેરમેન.ડીન.૧૯૯૧માં નિવૃત્ત થયો નાની ઉંમરથી સાહિત્યમાં રસ.પુષ્કળ ગુજરાતી,હિન્દી,અંગ્રેજી સાહિત્યનુ વાંચન કર્યું.
૧૯૪૮મા ૧૭ વર્ષની ઉમરે પૂજ્ય.મહાત્મા ગાંધીજીના સ્વર્ગવાસ પર જે કવિતા લખીને તત્કાલ મોકલી તે મુંબઈ સમાચારની પહેલી જ રવિવારની સાપ્તાહિક પૂર્તિમાં ગાંધીજી ના ચિત્ર સાથે પ્રકાશિત થયેલ.એ હતી મારી પહેલી સિદ્ધિ.
“કુમાર’માં વર્ષની શ્રેષ્ઠ વાર્તા તરીકે નિર્વાચિત થઇ પારિતોષિક પ્રાપ્તિ તે બીજી સિદ્ધિ ૧૯૫૧ માં કુલ ત્રણેક વાર્તાઓ તેમાં પ્રગટ થયેલી.આ વાર્તાનું નામ”ખોવાયેલી વીંટી”.બીજી બે વાર્તાઓના નામ હતું, ‘ભવિષ્યવાણી’ અને ’રમીમાસ્ટર’.
‘નવચેતન’ માં પુષ્કળ વાર્તાઓ છપાઈ.પ્રતિમા,સવિતા,વાર્તા,વી.માં વાર્તાઓ પ્રગટ થતી જ રહી.અખંડ આનંદ જન કલ્યાણમાં પણ નાની ઉમરે વાર્તાઓ,લેખો,એકાંકી વી.પ્રગટ થતારહ્યા.
બાળ સાહિત્ય પણ ઘણું લખેલ.બાલમિત્ર,બાલસખા, ગાંડીવ, રમકડું મુંબઈ સમાચાર,જન્મભૂમિ- પ્રવાસીમાં,બાલજીવનમાં.એક બાળનાટિકા મુંબઈ રેડીઓ સ્ટેશનથી પ્રસારિત પણ થયેલી.નાનપણમાં હસ્તલિખિત ત્રિમાસિક સામાયિક પણ પ્રકાશિત કરેલ- પંકજ અને રશ્મિ. નાનપણથી મંડળો સાથે કાર્યરત અને એના સ્થાપનાની નેમ.વ્યાયામ મંડળ ,બાળમંડળ,નવયુવક મંડળ,સંસ્કૃતિક મંડળ,વી.યુનીવર્સીટીમાં ભણતા ભણતા ગુજરાતી સેવામંડળ મંત્રી અને પછી પ્રમુખ તરીકે વરની થયેલી.એક વાર અતિવૃષ્ટિ થતા શહેરમાં વાસણ,કપડા અને અનાજનું મહિલા મંડળની સાથે ગરીબ વસ્તીઓમાં ફરી ફરી વિતરણ પણ કરેલું.હૈદ્રાબાદ રેડીઓ સ્ટેશન પર નાટિકાઓ ભજવેલી,સમાજમાં પણ નાટકો ભજવેલા,યુનીવર્સીટીમાં પણ નાટકો દિગ્દર્શિત કરેલા.સમાજમાં ભવ્ય હોલ.તેની ઉપર ગેસ્ટ હાઉઝ,શાળા અને કોલેજ માટે ગમે તેટલી મોંઘી ચોપડીઓ માટે બુક બેંક પણ શરુ કરેલી,જે આજે પણ ચાલે છે.પણ પી.એચડીની શુષ્ક શોધ-પ્રવૃત્તિમાં સાહિત્યની સરસતા સુકાતી ગઈ.તેમાં એક મહાન મિત્ર,ફિલસૂફ,અને ગુરુ સમાન ડોકટરે સાચી સમજણ આપી કહ્યું;”લખવા કરતા સારું જીવો.વ્યાસ મુનિના સમયથી આજ સુધી ઘણું ઘણું લખાયું છે.હવે મનુષ્યે સારું-સાચું જીવન જીવવાનું છે.લખવાનું છોડી દીધું,આજે ફરી ચાલીસ વર્ષો પછી લખવાનું શરુ કરી શક્યો તેનું શ્રેય શ્રી.નટવરભાઈ મેહતાને છે,જેમની પ્રેરણા અને જેમના પ્રોત્સાહનથી ફરી લખતો થઇ ગયો છું.લગભગ પચાસથી વધુ વાર્તાઓ છ મહિનામાં લખી છે અને એક લઘુ નવલ પણ. જે સમયાંતરે અહિં આ બ્લોગ મારફત પ્રકાશિત કરતા રહેવાની ખેવના રાખું છું.
આજે ૮૦ વર્ષની ઉમરે આટલી ઝડપથી આટલું લખી શકાયું છે તો હજી આવતા દસ-વીસ વર્ષોમાં તો પુષ્કળ લખશે.આશાવાદી છું,સકારાત્મક અભિગમ ધરાવું છું એટલે સો વર્ષ તો જીવવાનો જ. મારા કાકી સો વર્ષના જીવે છે અને હરેફરે છે.રોજ કોમ્પ્યુટપર બે-ત્રણ-ચાર કલાક બેસી સીધું જ લખવાનું ફાવી ગયું છે,ચાર પુત્રો-પુત્રવધુઓ ,જેમાંથી બે પુત્રો-પુત્રવધુઓ ડોક્ટર.એક પુત્ર-પુત્રવધુના બે પુત્રો અને તેમની એક પુત્રવધુ પણ ડોક્ટર.પુત્રો શ્રવણ જેવા.પુત્રવધુઓ પુત્રી જેવી.મને ન પુત્રી છે,ન બહેન.સો વર્ષે અમારે ત્યાં પહેલી પોત્રી જન્મેલી ત્યારે અમે,મારા માતા-પિતા પણ નાચેલા.ત્રણ પૌત્રો,પાંચ પૌત્રીઓ માંથી બે પૌત્રીઓના અને એક પૌત્રના લગ્ન થઇ ગયા છે.એક પ્રપૌત્રી પણ છે.બાકી અઘળા લગ્નો અને સહુને ત્યાં બાળકો આરામથી જોવાશે.
પત્નીને સ્ટ્રોક આવતા ડાબા પગે સહજ ખોડ આવી છે;પણ પોતાનું સઘળું કામ હવે જાતે કરી લે છે અને વોકરથી,લાકડીથી,માંરો હાથ પકડીને પણ ચાલી શકે છે અને કારમાં વોકર મૂકી બધે આવ-જાવ પણ કરી શકે છે.તે પણ મારી જેમ અને જેટલું લાંબુ જીવવાની જ.જે પુત્ર-પુત્રવધુની સાથે રહીએ છીએ તેમણે અમારા માટે હેન્ડીકેપ્ડ એક્સેસેબ્લ રૂમ અને બાથરૂમ પણ બનાવ્યો છે. મને સદભાગ્યે તે લોકો તેમજ મારી પત્ની દર વર્ષે ભારત ફરવા જવા દે છે અને હું ત્યાંથી ટુરો પણ લઉં છું-દેશ-વિદેશની.મને ભારત દેશ અતિઅતિ પ્રિય છે.ભાષાઓ હું ગુજરાતી ઉપરાંત હિન્દી,ઉર્દુ,મારાથી,તેલુગુ વી.જાણું છું.
આ થયો મારો લાંબો પરિચય.. આશા છે કે આપ સહુ સાહિત્ય રસિક મારા આ સાહસને આવકારશે. અને મને પ્રોત્સાહન આપશે.
આપનો લલિત પરીખ.
તેમનો સંપર્ક
Dr. Lalit Praikh
2004 MOUNTAIN PINE DRIVE
MECHANICSBURG PA 17050
Phone:717-728-9801
email:
lalitparikh31@gmail.com
ડૉ નટવરભાઇ ગાંધી-સોનેટ ગાંધી
વિજય શાહ અને ડો નટવરભાઇ ગાંધી
ડૉ નટવર ગાંધી ” પ્રથમ” નાં ઉપક્રમે હ્યુસ્ટન આવ્યા અને એમના સોનેટૉ એમના ભાવ વહી અવાજમાં સાંભળવાનો લહાવો મળ્યો.સવારનાં નવનાં ટકોરે સતીશભાઇ સાથે તેમનુ “ભોજન” રેસ્ટોરંટમાં સતિશભાઇ સાથે આગમન થયું ત્યારે પહેલી નજરે ન જાણાયું કે તેઓ અમેરિકાનાં મુખ્ય નાણાકીય અધિકારી છે અને ગુજરાતનુ અને ગુજરાતીઓનું આગવુ ગૌરવ છે પણ જ્યારે માઇક ઉપર પૃથ્વી છંદમાં સોનેટો એમના મૃદુ અવાજમાં સાંભળવાનો લહાવો મળ્યો ત્યારે લાગ્યું કે ગુજરાતી ભાષા પણ તેમના સર્જનો દ્વારા જીવંત છે. તેઓ ગાંધીજીનાં ઉપદેશોને જાણે છે અને પાળે પણ છે. અમેરિકાની ધરતીમાં રહેલી સારપને માણે છે અને ભારતનાં સંસ્કારોની ધૂળ માથા પર રાખે છે. પૂર્વ અને પશ્ચિમનું સુભગ સમન્વય તેમનમાં જણાય છે. તેમનો પરિચય આ પાવર પોઇંટ પ્રેઝન્ટેશન Natwar Gandhi-vishal થકી મળશે.
જેમના મિત્રો પન્નાબેન નાયક અને સુરેશ દલાલ જેવા સમર્થ સાહિત્ય કારો હોય તેઓનાં સર્જનો માણો www.narwargandhi.com ઉપર. તેમના બે સોનેટ સંગ્રહો ઇંડિયા ઇંદિયા અને અમેરિકા અમેરિકા વાંચ્યા પછી અમેરિકનગુજરાતીઓ તેમને સોનેટ ગાંધી કહે તે યોગ્ય જ છે






